Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

સોનીબજારના વધુ એક વેપારીનો કોરોનાએ ભોગ લીધો : સમ્રાટ જવેલર્સના મોભી રસિકભાઈનું નિધન

છેલ્લા કેટલાક દિવસથી વેન્ટિલેટર પર હતા : પરિવારના અન્ય સભ્યો પણ સંક્રમિત હતા

રાજકોટ : શહેરમાં કોરોના બેકાબુ બન્યો છે રોજ બરોજ પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઇ રહયો છે  સોનીબજાર જેવા ગીચ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ રોકવા આજથી સોનીબજાર આઠ દિવસ સ્વૈચ્છીક બંધ રાખવા નિર્ણંય લેવાયો છે  ત્યારે કોરોનાએ વધુ એક વેપારીનો ભોગ લીધો છે સોનીબજારની જૂની પેઢી સમ્રાટ જવેલર્સ પરિવારના  મોભી રસીકભાઇ ઠાકરશીભાઈ પાટડિયાનું કોરોનથી નિધન થયું છે, તેઓના પરિવારના અન્ય સભ્યો પણ કોરોના સંક્રમિત થયા હતા પરન્તુ રસિકભાઈનું તબિયત લથડતા તેઓને હોસ્પિટલાઇઝડ કર્યા હતા અને છેલ્લા કેટલાક દિવસથી તેઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા

 સોનીબજારમાં છેલ્લા એકાદ મહિનામાં 30થી 40 સોની વેપારીઓ-અગ્રણીઓનું કોરોનાના કારણે નિધન થતા બજારમાં ઘેરા શોક સાથે ચિંતાની લાગણી પ્રસરી છે.

(3:40 pm IST)