Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે મેયર સહિતના પદાધિકારીઓ દ્વારા પુષ્પાંજલિ અર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા દ્વારા તા.૧૨/૦૧/૨૦૨૨ના રોજ સ્વામી વિવેકાનંદજીની ૧૫૯મી જન્મજયંતિ નિમિત્તે તેઓની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે મેયર ડો.પ્રદિપ ડવ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલ, વિપક્ષ નેતા ભાનુબેન સોરાણી, શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન પરેશભાઈ પીપળીયા, કોર્પોરેટર રાજેશ્રીબેન ડોડીયા, મિતલબેન લાઠિયા, મીનાબા જાડેજા, દક્ષાબેન વાઘેલા, લીલુબેન જાદવ, નયનાબેન પેઢડિયા, દેવુબેન જાદવ, મંજુબેન કુંગશીયા, દર્શનાબેન પંડ્યા, અલ્પાબેન દવે, જીતુભાઈ કાટોડીયા, પરેશભાઈ પીપળીયા, વિનુભાઈ સોરઠિયા, દિલીપભાઈ લુણાગરીયા, બિપીનભાઈ બેરા, અશ્વિનભાઈ પાંભર, નીતિનભાઈ રામાણી, રણજીતભાઈ સાગઠિયા, ચેતનભાઈ સુરેલીયા, હિરેનભાઈ ખીમાણીયા તેમજ અન્ય અગ્રણી કાથડભાઈ ડાંગર, અનિલભાઈ લિંબડ, કિશોરભાઈ ડોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

(3:46 pm IST)