Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

ભાજપ હસ્‍તાક્ષર અભિયાન

 તાજેતરમાં પંજાબ રાજયના ફિરોઝપુર જીલ્લામાં દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીના પ્રવાસ દરમ્‍યાન સુરક્ષા વ્‍યવસ્‍થામાં મોટી ખામી અને અવ્‍યવસ્‍થા સર્જાહી હતી, પંજાબની કોંગ્રેસ સરકારે ઘોર બેદરકારી દાખવી હતી. કોંગ્રેસની આ દુષિત માનસિકતાની સમગ્ર દેશ ઘોર નિંદા કરી રહયો છે. આદરણીય નરેન્‍દ્રભાઈ મોદીએ દેશ માટે કરેલા લોકહીતના કાર્યોથી દેશવાસીઓ  જ નહી સમગ્ર વિશ્‍વ પ્રભાવિત છે ત્‍યારે શહેરના કીસાનપરા ચોક, બાલભવનના ગેઈટ પાસે શહેર ભાજપ સાંસ્‍કૃતીક સેલ અને બૌઘ્‍ધિક સેલ દ્વારા ‘ભારત સ્‍ટેન્‍ડસ વિથ મોદી' અતંર્ગત હસ્‍તાક્ષર અભિયાન યોજવામાં આવેલ, આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી કિશોર રાઠોડ,નરેન્‍દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ સાંસ્‍કૃતીક સેલના સંયોજક તેજશ શીંશાંગીયા, વિજયભાઈ કારીયા, બૌઘ્‍ધિક સેલના સંયોજક નિલેશભાઈ ભાલાણી, પરિમલ પરવડા, કાર્યક્રમના ઈન્‍ચાર્જ પરેશ હુંબલ, રઘુભાઈ ધોળકીયા, રક્ષાબેન બોળીયા,  ડો. દર્શીતાબેન શાહ, વિશાલભાઈ વસા, બિહારીદાન ગઢવી, રોહીતસિંહ હેરભા, કલાકારોમાં ઈલાબેન પ્રજાપતી, હર્ષાબેન પટેલ, મધુસુદનભાઈ ભટૃ, ભરત ત્રિવેદી, સહીતના ઉપસ્‍થિત રહયા હતા.

(3:25 pm IST)