Gujarati News

Gujarati News

News of Wednesday, 12th January 2022

સાંઇ ધામ સોસાયટીમાં ઝેરી દવા પી પોરબંદરના વિશાલ ઓડેદરાનું મોત

યુવાન ઘણા સમયથી એકલો રહેતો'તો : કારણ અકળ

રાજકોટ,તા. ૧૨ : મવડી જલજીત હોલ પાસે સાંઇરામ સોસાયટીમાં રહેતા પોરબંદરના યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતા અરેરાટફી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ પોરબંદર હાલ રાજકોટ મવડી જલજીત હોલ પાસે સાંઇધામ સોસાયટી શેરી નં. ૬માં સગાના મકાનમાં ભાડે રહેતો વિશાલ પુંજાભાઇ ઓડેદરા (ઉવ.૨૨) ગઇ કાલે ઘરે હતો. ત્યારે તેણે ઝેરી દવા પી લીધી હતી. મકાન માલીક તેને બોલાવવા જતા વિશાલને બેભાન હાલતમાં પડેલો જોઇ દેકારો મચાવતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ કોઇએ ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી તપાસ કરતા યુવાનનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકમાં એ.એસ.આઇ કે.કે.માઢક તથા રાઇટર દિગ્વીજયભાઇ ગઢવીએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. મૃતક રાજકોટમાં મોલમાં નોકરી કરતો હતો. તેણે કયાં કારણોસર આ પગલું ભર્યું તે અંગેનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:39 pm IST)