Gujarati News

Gujarati News

News of Tuesday, 12th January 2021

ત્રંબાથી રાજકોટ માવતરે આવી ઝેર પી લેનારા પારૂબેન વધેરાએ દમ તોડ્યો

માનસિક અસ્વસ્થતાને લીધે પગલુ ભર્યુ હતું

રાજકોટ તા. ૧૨: ત્રંબાના ધાડવી ગામે સાસરીયુ ધરાવતી પારૂબેન નાનજીભાઇ વધેરા (ઉ.વ.૩૫) નામની મહિલાએ મવડીમાં ગણેશ પ્રોવિઝન સ્ટોર વાળી શેરીમાં રહેતાં પોતાના માવતરના ઘરે ઝેરી દવા પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પરંતુ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

પારૂબેન ગઇકાલે સવારે જ માવતરે આવી હતી. તેણીના કોૈટુંબીકભાઇ પ્રકાશભાઇના કહેવા મુજબ સવારે માતા કામે ગયા હતાં અને તેણીના દાદીમા બહાર બેઠા હતાં ત્યારે તેણીએ ઝેર પીધું હતું. સારવાર દરમિયાન દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેણીના લગ્ન બાર વર્ષ પહેલા થયા હતાં. સંતાન પ્રાપ્તિ થઇ નહોતી.  તેણીના પતિ નાનજીભાઇ મજૂરી કરે છે. તેણીના પિતા પણ હયાત નથી. માનસિક અસ્વસ્થતાને કારણે તેણીએ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું.  પીએસઆઇ એ. જી. અંબાસણા વધુ તપાસ કરે છે.

(3:49 pm IST)