Gujarati News

Gujarati News

News of Thursday, 9th September 2021

સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અંગે સરકારનું માર્ગદર્શન મંગાયું છે... જસદણમાં વીજળીથી મૃત્યુ પામનારના પરીવારોને ૪ લાખની સહાય ટીડીઓ આપશે

રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતંુ કે હાલ જીલ્લામાં કોરોનાના ૦ કેસ છે, આમ છતા સાવચેતીના પગલા લેવાઇ રહયા છેઃ સમરસ હોસ્ટેલ અંગે તેમણે જણાવેલ કે ત્યાં હાલ કોઇ દર્દી નથી-માત્ર સ્ટાફ તૈનાત છેઃ આ હોસ્ટેલ અંગે વિદ્યાર્થીઓની માંગણી આવતા તેમાં પ્રવેશ આપવો કે કેમ તે અંગે સરકારનું માર્ગદર્શન માંગ્યું છે...જસદણ પંથકમાં વીજળી પડતા રના મોત અંગે કલેકટરે જણાવેલ કે મૃત્યુ પામનારના પરીવારોને ૪ લાખની સહાય ટીડીઓ આપશે તેની ગ્રાન્ટ કલેકટર તંત્ર રીલીઝ કરશે.

(4:57 pm IST)