Gujarati News

Gujarati News

News of Wednesday, 9th September 2020

શહેરના ૧૫ વિસ્તારોમાં ૮૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન

ગઇકાલે ૩૨૦૦૦ ઘરમાં સર્વે કરાયો તેમાંથી માત્ર ૭૨ તાવ - શરદી - ઉધરસના દર્દી મળ્યા : ૧૦ હજાર લોકોને ધનવંતરી રથ મારફત તપાસ કરાઇ : ૨૪ વિસ્તારોમાં મ્યુ. કોર્પોરેશનની ૧૦૦૦ ટીમો સર્વે માટે ફરી વળી

રાજકોટ તા. ૯ : શહેરમાં કોરોના કાબુમાં લેવા માટે મ્યુ. કોર્પોરેશન દ્વારા હવે સર્વેલન્સની કામગીરી ઝુંબેશાત્મક રીતે શરૂ કરાઇ છે. જે અંતર્ગત શહેરના કુલ ૧૫ વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ ફેલાયુ હોવાનું જાહેર થયું છે અને આ ૧૫ વિસ્તારોમાં ૮૧ જેટલા માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન બનાવાયા છે અને ગઇકાલે કુલ ૩૨૦૦૦ ઘરોમાં સર્વે દરમિયાન માત્ર ૨ વ્યકિતઓ તાવ - શરદી - ઉધરસના લક્ષણો ધરાવતા મળ્યા હતા.

આ અંગે સત્તાવાર જાહેર થયેલ ીવગતો મુજબ મ્યુ. કોર્પોરેશનની ૧૦૩૨ જેટલી સર્વેલન્સ ટીમ દ્વારા ૩૨૫૮૬ મકાનોનો સર્વે કરાયેલ. જેમાં ૭૨ વ્યકિતઓને તાવ - શરદી - ઉધરસના લક્ષણો જણાયેલ. જ્યારે ૫૦ ધનવંતરી રથ મારફત ૧૦,૧૩૭ લોકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી થયેલ.

ઉપરાંત ગઇકાલે ૩૬ ટેસ્ટીંગ વાન દ્વારા ૫૩૮૯ લોકોનો એન્ટીજન કીટ દ્વારા કોરોના ટેસ્ટ કરાયેલ. બેડી નાકા, કૈલાશવાડી, શ્રોફ રોડ, રાજારામ, કનકનગર, રામ પાર્ક, આલાપ સેન્ચુરી, ગોવિંદરત્ન, ગોકુલધામ, અટીકા ઇન્ડસ્ટ્રીઝ, પ્રહલાદ પ્લોટ, રાધાનગર, કરણપરા, વિરાટનગર સહિત ૨૨ વિસ્તારોમાં કોરોના ટેસ્ટ, ધનવંતરી રથ, સંજીવની રથ અને સર્વેલન્સની કામગીરી થઇ હતી.

ગઇકાલની સ્થિતિએ શહેરનાં પરસાણાનગર, જાગનાથ પ્લોટ, રણછોડનગર, સ્લમ કવાર્ટર (રૈયાધાર), કેવડાવાડી, મેહુલનગર, અર્જુન પાર્ક, અમીન માર્ગ, ગુંદાવાડી, ગીતાનગર, માસ્તર સોસાયટી, ગુરૂદેવ પાર્ક (બીગબજાર) વગેરે સહિત ૧૫ વિસ્તારોમાં ૮૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન (એટલે કે કોરોના પોઝિટિવનું મકાન અને તેની આસપાસના બેથી ત્રણ મકાનના વિસ્તારનો ૧ માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન) કાર્યરત છે.

(3:16 pm IST)