Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

કાલથી ગુરૂકુલમાં શ્રી હરિલીલામૃત કથા પારાયણ

નવલબેન તથા કુશળબેન કથામૃતનો લાભઆપશેઃ મોટાબેન પૂ.રેખાબેન આશીવર્ચન પાઠવશેઃઘનશ્‍યામ જન્‍મોત્‍સવ, નિલકંઠવર્ણી વનપ્રવેશ સહિતના પ્રસંગો

રાજકોટઃ સર્વાવતારી ઇષ્‍ટદેવ ભગવાન શ્રી સત્‍યનારાયણની અસીમ કૃપાથી પંચદિનાત્‍મક મહિલા સત્‍સંગ કથાપરાયણનું આયોજન કર્યુ છે.  જેના  વકતાપદે શ્રી પ્રેમવતી મહિલા સંસ્‍કાર કેન્‍દ્ર રાજકોટના સાંખ્‍યયોગી શ્રી નવલબેન તથા સાંખ્‍યયોગી શ્રી કુશળબેન બિરાજી સત્‍સંગ કથાવાર્તાનો લાભ આપશે. સાંખ્‍યયોગી શ્રી મોટાબેન (પૂ.રેખાબેન) ના દરરોજ આશીર્વાદ-દર્શનનો ખાસ લાભ મળશે. પોથીયાત્રા તા ૧૦મે બપોરે ૩.૩૦ કલાકે ‘સહજાનંદ', ધર્મજીવન મેઇન રોડથી રાજકોટ ગુરુકુલ પહોચશે.

આ પ્રસંગે ઘનશ્‍યામ જન્‍મોત્‍સવ તા ૧૦મે, નીલકંઠવર્ણી વનપ્રવેશ તા. ૧૧ મે, ગાદીપટ્ટા અભિષેક તા. ૧૨ મે, ગઢપુરમાં શ્રી પધાર્યા તા. ૧૩મે અન્નકુટ ઉત્‍સવ તા. ૧૪મે ના યોજાશે.

શ્રીમતી પ્રભાબેન કાનાબાર, રીનાબેન, મનિષાબેન, કીરણબેન, રૂપલબેન દ્વારા આમંત્રણ અપાયું છે

(4:03 pm IST)