Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

ભગવતીપરામાં પરીણીતાને પતિએ લાફા મારી કાનનો પડદો તોડી નાખ્‍યો

મીનાબેન જારીયા સારવારમાં: પતિ વિમલ સામે પોલીસમાં ફરીયાદ

રાજકોટ, તા., ૯: ભગવતીપરામાં પરીણીતા પર શંકા કરી પતિએ બે-ચાર લાફા ઝીંકી દેતા કાનનો પડદો તૂટી જતા પરીણીતાને સારવાર અર્થે હોસ્‍પીટલમાં ખસેડેલ છે.

ભગવતીપરામાં મહાકાળી સોસાયટી-૪, દતાત્રેય સ્‍કુલની પાછળ રહેતા મીનાબેન જારીયા (ઉ.વ.ર૯) ને તેના પતિ વિમલ જારીયાએ ઢીકા-પાટુનો માર મારી કાનના ભાગે બે-ચાર લાફા ઝીંૅકી દેતા મીનાબેનના કાનનો પડદો તૂટી જતા સારવાર અર્થે સિવિલ હોસ્‍પીટલમાં ખસેડાયેલ હતા આ અંગે ઇજાગ્રસ્‍ત મીનાબેનએ તેના પતિ વિમલ જારીયા શંકા અને વહેમ કરી શારીરીક-માનસીક ત્રાસ આપી મારઝુડ કરતો હોવાનું મહિલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. બે વર્ષ પહેલા પણ પતિના ત્રાસના કારણે મીનાબેહેને ફિનાઇલ પી લીધું હતું. ત્‍યાર બાદ સમાજના આગેવાનો દ્વારા ઘરમેળે સમાધાન થઇ ગયુ હતું. તેમ છતા પતિ શંકા અને વહેલ કરી ત્રાસ ગુજારી મારઝુડ કરતો હોવાનું ફરીયાદમાં જણાવાયું છે.

(4:30 pm IST)