Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

મેહુલનગરમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્‍ધે અગાશી પર જઇ પોતાના પેટમાં છરી ઝીંકી દીધી

વૃધ્‍ધને સારવાર માટે હોસ્‍પિટલમાં ખસેડાયા

રાજકોટ, તા.૯: કોઠારિયા રોડ પર મેહુલનગરમાં રહેતા વૃધ્‍ધે માનસિક બીમારીથી કંટાળી પોતાના ઘરની અગાશી પર જઇ પોતાની જાતે પેટમાં છરી ઝીંકી દેતા તેની સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ મેહુલનગરમાં રહેતા ૬૫ વર્ષના પ્રવિણ એ રાત્રે પોતાના ઘરે અગાશી પર જઇ પોતાની જાતે પોતાના પેટના ભાગે છરી મારી દીધી હતી. પરિવારજનો વૃધ્‍ધને લોહીલુહાણ હાલતમાં જોઇ તેને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. વૃધ્‍ધ અગાઉ સોની કામ કરતા હતા. છેલ્લા ઘણા સમયથી તે માનસીક બીમારીથી પીડાતા હોઇ, તેથી કંટાળી તેણે આ પગલુ ભર્યાનું તેના પરિવારજનોએ જણાવ્‍યુ હતું. આ અંગે ભકિતનગર પોલીસે તપાસ આદરી છે.(

(4:23 pm IST)