Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

દર્શન કરવા જતા કાર પલ્‍ટી ખાઇ ગઇઃ રાજકોટના વૃધ્‍ધનું મોત

જેન્‍તીભાઇ ઉર્ફે શશીભાઇએ રાજકોટમાં દમ તોડયોઃ વિરેનભાઇ, પત્‍ની વૈશાલીબેન અને પુત્ર જતીન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૯: કુવાડવા નજીક બામણબોરના ખેરવા ગામ પાસે કાર પલ્‍ટી જતા રાજકોટના વૃધ્‍ધનું મોત નિપજયું હતું. જયારે દંપતી સહિત ત્રણને ઇજા થતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા.
મળતી વિગત મુજબ લક્ષ્મીવાડીમાં રહેતા જેન્‍તીભાઇ ઉર્ફે શશીભાઇ વૃજલાલભાઇ ગાંગડીયા (ઉ.વ. ૭ર) તથા જસદણના વિરેનભાઇ ભગીભાઇ બાવરીયા (ઉ.વ. ૪ર) તેના પત્‍ની વૈશાલીબેન બાવરીયા (ઉ.વ.૪૦) અને પુત્ર જતીન (ઉ.વ. ૧પ) કારમાં બેસી વાંકાનેરના તીથવા ગામે દર્શન કરવા જતા હતા તે દરમ્‍યાન ખેરવા ગામ પાસે કાર પલ્‍ટી જતા ચારેયને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા ત્‍યાં જેન્‍તીભાઇ ઉર્ફે શશીભાઇનું સારવાર દરમ્‍યાન મોત નિપજયું હતું. આ અંગે એરપોર્ટ પોલીસ મથકના પી.એસ.આઇ. સાકરીયાએ કાર્યવાહી કરી હતી.

 

(1:20 pm IST)