Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટની પરિણીતા સ્નેહલને પુનામાં રહેતા પતિ સહિતના સાસરિયાનો ત્રાસ

પરિણીતાની ફરિયાદ પરથી પતિ,દિયર,સાસુ,મામજી સસરા સામે ગુનો નોંધાયો

રાજકોટ:  હાલ રાજકોટમાં મંગળા મેઈન રોડ પર માવતરના ઘરે રહેતી પરિણીતાએ પૂનામાં રહેતા પતિ સહિતના સાસરીયાઓ સામે શારીરિક માનસિક ત્રાસ આપ્યાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

શહેરના મંગળા મેઈન રોડ પર ગોકુલ હોસ્પિટલની બાજુમાં અનમોલ એપાર્ટમેન્ટમાં હાલ માવતરના ઘરે રહેતી સ્નેહલ શ્રીકાંતભાઈ રાવલ (ઉ.વ ૨૯) દ્વારા મહિલા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં પુનામાં રહેતા પતિ શ્રીકાંત ચંદ્રકાંતભાઈ રાવલ, દિયર જયકિશન ચંદ્રકાંતભાઈ રાવલ અને સાસુ પલ્લવીબેન ચંદ્રકાંતભાઈ રાવલ તેમજ જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપમાં રહેતા મામાજી સસરા સુનિલ જન્મશંકરભાઈ ભટ્ટ અને પોરબંદરમાં રહેતા ભાવનાબેન અશોકભાઈ પંડ્યાના નામ આપ્યા છે.

પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, પતિ સહિતના સાસરિયાઓએ છેલ્લા એકાદ વર્ષ દરમિયાન નાની નાની વાતમાં ઝઘડા કરી મેણાટોણા મારી શારીરિક-માનસિક ત્રાસ ગુજરાત હોય તેમજ અન્ય સાસરિયાઓ પતિની ચઢામણી કરતાં હોય તેથી પતિ પણ તેણીને શારીરિક-માનસિક ત્રાસ આપતો હતો. પરિણીતાની ફરિયાદ પરથી પોલીસે આઇપીસીની કલમ 498(ક),114 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. વધુ તપાસ હેડ કોન્સ્ટેબલ કે.બી.મકવાણા ચલાવી રહ્યા છે.

(2:46 pm IST)