Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

સંતકબીર રોડ પરની ૧૭ વર્ષની સગીરા લાપતા અપહરણનો ગુનોશંકદાર તરીકે અનીલ પનારા સામે થોરાળા પોલીસ મથકમાં ફરીયાદ

રાજકોટ : સંત કબીર રોડ વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરા ગઇકાલે પોતાના ઘરેથી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. તપાસ દરમ્યાન સેટેલાઇટ ચોક પાસે કેયુર પાર્ક સોસાયટીમાં રહેતો અનીલ પનારા સગીરાને ભગાડી ગયો હોવાની શંકા જતા સગીરાના પરિવારજનોએ થોરાળા પોલીસ મથકમાં જાણ કરતા પોલીસ સગીરાના પિતાની ફરીયાદ પરથી શંકદાર તરીકે અનિલ પનારા સામે અપહરણની કલમ હેઠળ ગુનો દાખલ કરી પી.આઇ.જે. આર. દેસાઇએ તપાસ હાથ ધરી છે.

(2:56 pm IST)