Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

‘તારી પત્‍ની સાથે મને સુવા દે’ તેમ કહેતા જાળીયા ગામના સુરેશ વિરમગામીની હત્‍યા કરાઇ’તી

જોધપુર રહેતા સુરેશનું જાળીયા કોટડાના કાચા માર્ગે પરથી હાડપીંજર મળીઅ આવ્‍યા ના પ્રકરણમાં હત્‍યા થયાનું ખુલ્‍યુ: સુરેશે બીભત્‍સ માંગણી કરતા પરેશ સોલંકીએ ગુપ્‍ત ભાગે પાટુમારી હત્‍યા કરી : ધરપકડ

રાજકોટ :  તારી પત્ની સાથે મને સુવા દે તેમ કહેતા જાળિયા ગામના યુવાનની હત્યા કરાઇ હતી

હાલ જોધપુર રહેતા યુવાનનું કંકાલ મળી આવ્યાના પ્રકરણમાં હત્યા થયાનું ખુલ્યુ: યુવાને જાળિયા ગમામાં રહેતા શખ્સ પાસે બિભત્સ માંગણી કરતા તેણે ગુપ્તભાગે પાટા મારી હત્યા નીપજાવી હતી: યુવાનના કૌટુંબિક ભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધાયો

રાજકોટના રતનપર નજીકના જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્યાએથી શુક્રવાર સાંજના યુવાનની કોહવાઈને હાડપીંજર બની ગયેલી લાશ મળી આવી હતી.બનાવના પગલે કુવાડવા પોલીસ સ્થળ પર પહોંચી ગઈ હતી.આ કંકાલ મૂળ જારીયા ગમના વતની અને છેલ્લા ઘણા સમયથી રાજસ્થાનમાં થયેલા યુવાનનું હોવાની શંકા સેવાઇ રહી હતી.દરમિયાના આ પ્રકરણમાં પોલીસે તપાસ હાથ ધરતા આ લાશ મૂળ જાળિયા ગામના વતની હાલ અને જોધપુર સ્થાયી થયેલા દેવિપૂજક યુવાનની જ હોવાનું તેમજ તેની હત્યા થઇ હોવાનું સ્પષ્ટ થયું હતું. યુવાને જાળિયા ગમમાં રહેતા શખ્સને પાસે તેની પત્ની સાથે સુવા દેવાની વાત કહેતા આ બાબતે ઝઘડો થતા તેણે ગુપ્તભાગે પાટા મારી તેની હત્યા કરી હોવાનું ખુલ્યું હતું. આ અંગે મૃતકના પીતરાઇ ભાઇની ફરીયાદ પરથી પોલીસે આ શખ્સ સામે હત્યાનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ જાળિયા ગામના વોંકળાના કાંઠે અવાવરૂ જગ્યાએ
જયાંથી લાશ મળી ત્યાંથી દુર્ગંધ આવતી હોવાથી સરપંચને જાણ થતા પોલીસને જાણ કરી હતી.જેથી એસીપી સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. સાયન્ટીફિક ઓફિસરને પણ સ્થળ પર બોલાવી લેવાયા હતા. મામલતદાર રૂબરૂ ઈન્કવેસ્ટ પંચનામું કરાવાયું હતું. ત્યારબાદ ફાયર બ્રિગેડના સ્ટાફે ખાસ કીટમાં મૃતદેહને સિવિલના પોસ્ટમોટમ રૂમે ખસેડયો હતો. મૃતક સુરેશભાઈ રણછોડભાઈ દેવીપુજક હોવાની સંભાવના છે. મૃતક જારીયા ઉપરાંત રાજસ્થાનના જોધપુરમાં રહેતો હતો. થોડા સમય પહેલા જ સસરાની અસ્થી પધરાવવા રાજકોટ નજીકના ગામમાં આવ્યા હતા. ત્યારબાદ પત્ની સાથે કોઈ બાબતે ઝઘડો થતા તેની પત્ની સહિતના સાસરીયા પક્ષના સભ્યો જોધપુર જતા રહ્યા હતા. જયારે મૃતક જારીયા ગામમાં રોકાઈ ગયો હતો.
દરમિયાન આ ફોરેન્સિક પી.એમ નો રિર્પોટ આવી જતા યુવાનની હત્યા થઇ હોવાની સ્પષ્ટ થયું હતું. બીજી તરફ પોલીસ તપાસમાં આ હત્યા જાળિયા ગામમાં જ રહેતા પરેશ તળસીભાઇ સોલંકીએ કરી હોવાનું માલુમ પડતા પોલીસે તેની ઉઠાવી લીધો હતો.જેની પુછપરછ પરથી આ હત્યાના બનાવનો ભેદ ઉકેલાય ગયો હતો.
આ મામલે મૃતક યુવાન સુરેશ રણછોડભાઇ વીરગામીયાના પીતરાઇ ભાઇ રાજકોટના થોરાળા મેઇન રોડ પર ચારબાઇ માતાજીના સ્થાનક પાસે રહેતા વિનોદ બીજલભાઇ પરમાર(ઉ.વ ૩૬) દ્રારા કુવાડવા પોલીસ મથકમાં પરેશ સોલંકી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પીતરાઇ ભાઇ સુરેશએ આરોપી પરેશને તેની બાયડી સાથે સુવાની વાત કહી હતી આ બાબતે બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડો થયો હતો.બાદમાં આરોપી પરેશે ઉશ્કેરાઇ સુરેશને ગુપ્તભાગે તથા પેટના ભાગે પાટા મારી જીવલેણ ઇજા પહોંચાડતા યુવાનનું મોત થયું હતું.આ મામલે યુવાનની ફરિયાદ પરથી પોલીસે હત્યાની કલમ ૩૦૨ મુજબ ગુનો નોંધયો છે.આ અંગે વધુ તપાસ કુવાડવા રોડ પોલીસ મથકના પી.આઇ બી.એમ.ઝણકાટની રાહબરીમાં રાઇટર હીતેશભાઇ ગઢવી તથા સ્ટાફ ચલાવી રહ્યો છે.

(4:27 pm IST)