Gujarati News

Gujarati News

News of Monday, 9th May 2022

રાજકોટના ન્યુ જાગનાથમાં 10 વર્ષની કરિશ્મા સોનીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું: અરેરાટી

એ ડિવિઝન પોલીસે નેપાળી તરુણીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી

રાજકોટ : શહેરના યાજ્ઞિક રોડ પર ઇમ્પિરીયર પેલેસ  હોટલ સામે આવેલ ન્યુ જાગનાથ  શેરી ન, 23માં રહેતા કરણભાઇ સોની ( નેપાળી ) ની 10 વર્ષની પુત્રી કરિશ્માએ બપોરે પોતાના ઘરે છતના હુક્માં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો,માતા અને પિતા બહારથી આવ્યા ત્યારે પુત્રીને લટકતી જોઈ તાકીદે નીચે ઉતારી સિવિલ હોસ્પિટલે ખસેડાઇ હતી ત્યાં તપાસનીશ તબીબોએ તરુણીને મૃત જાહેર કરી હતી,

 બનાવની જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ ટી ડી ચુડાસમાએ સ્થળ પર પહોંચી તરુણીના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે

 

(8:50 pm IST)