Gujarati News

Gujarati News

News of Saturday, 9th April 2022

કાલે રઘુવંશી સમાજના અધિકારીઓ, કર્મચારીઓ અને વેપારી આગેવાનોનું સન્‍માન થશે

શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા આયોજન

રાજકોટઃ શ્રી રઘુવંશી યુવા શકિત સંઘ દ્વારા કાલે તા.૧૦ રવિવારે શ્રી રામનવમીના દિવસે સંગઠનનો પ્રથમ સ્‍થાપના દિવસ સન્‍માન સમારોહનું આયોજન કરેલ છે. જેમાં સંસ્‍થાના સભ્‍યો રઘુવંશી સમાજના પોલીસ કર્મચારીઓ, વેપારીઓ તથા અગ્રણીઓનું સન્‍માન કરવામાં આવશે.
કોઠારીયા મેઈન રોડ ઉપર નિલકંઠ સિનેમા પાસે શુભમ સ્‍કૂલ ખાતે આયોજીત આ કાર્યક્રમમાં મુખ્‍ય અતિથિ તરીકે પ.પૂ.સંત શ્રી મુકતાનંદજી બાપુ (ચાંપરડા, જુનાગઢ), શાષાી ભકિતપ્રકાશદાસજી (શ્રી સ્‍વામિનારાયણ આશ્રમ, ખીરસરા) અને સમગ્ર રઘુવંશી સમાજ બારોટ નિકુલભાઈ બારોટજી ઉપસ્‍થિત રહેશે.
કાર્યક્રમને સફળ બનાવવા સંગઠનના ગુજરાત પ્રમુખ કાછેલા ધવલ (કે.ડી. રઘુવંશી), ગુજરાત પ્રભારી- કુલદીપ રઘુવંશી, સૌરાષ્‍ટ્ર પ્રમુખ- પાર્થ જોબનપુત્રા, કાનુની સલાહકાર- જયભારત ધામેચા,ગુજરાત ઉપપ્રમુખ- મોહિત સવાણી, પ્રિન્‍સ રઘુવંશી, કરણ રઘુવંશી, હાર્દિક રઘુવંશી અને બ્રિજેશ રઘુવંશી વિ.જહેમત ઉઠાવી રહ્યા છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

 

(3:26 pm IST)