Gujarati News

Gujarati News

News of Thursday, 9th February 2023

લગ્નમાં જતી વખતે અકસ્‍માત નડયો'તોઃ વાંકાનેરના જાલસીકાના રામજીભાઇનું મોત

૨૪મીએ સાયલા પાસે બાઇક સ્‍લીપ થયુ'તું: રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૮: સાયાલના મોરવાડ પાસે ગત ૨૪મીએ બાઇક સ્‍લીપ થઇ જતાં લગ્ન પ્રસંગમાં જઇ રહેલા વાંકાનેરના જાલસીકાના રામજીભાઇ મધુભાઇ પલાળીયા (ઉ.વ.૫૭)ને ગંભીર ઇજા થઇ હતી. તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્‍યું છે.

રામજીભાઇ પાંચ ભાઇમાં બીજા હતાં અને સંતાનમાં બે પુત્ર તથા એક પુત્રી છે. પોતે ૨૪મીએ બાઇક હંકારી લગ્ન પ્રસંગમાં જતાં હતાં ત્‍યારે મોરવાડ પાસે સ્‍લીપ થઇ જતાં ઇજાઓ થતાં લીંબડી, સુરેન્‍દ્રનગર સારવાર અપાવી ૬/૨ના રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ ગત મોડી રાતે દમ તોડી દેતાં પરિવારમાં શોક  છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના રામશીભાઇ વરૂએ જરૂરી કાર્યવાહી કરી સાયલા પોલીસને જાણ કરી હતી.

(11:29 am IST)