Gujarati News

Gujarati News

News of Tuesday, 8th September 2020

બામણબોરમાં પ્લોટીંગ સાઇટ પર પડી જતાં રોહિદાસપરાના ભનુભાઇનું મોત

રાજકોટના વૃધ્ધ ત્યાં ચોકીદારી કરતા હતાં

રાજકોટ તા. ૮: કુવાડવા રોડ પર રોહીદાસપરામાં રહેતાં ભનુભાઇ જીવણભાઇ પરમાર (ઉ.વ.૫૯) સાંજે બામણબોરમાં વસુંધરા રોડ પર તિરૂપતી ઇન્ડસ્ટ્રીઝ સામે કમલેશભાઇની પ્લોટીંગ સાઇટ પર હતાં ત્યારે પડી જતાં મોત નિપજ્યું હતું.

બનાવની જાણ થતાં કુવાડવાના હેડકોન્સ. જયપાલસિંહ ઝાલા અને રાઇટર પ્રદિપસિંહ જાડેજાએ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. પોતે પ્લોટીંગની સાઇટ પર ચોકીદારી કરતાં હતાં. ચક્કર આવતાં પડી ગયા બાદ માથામાં ઇજા થતાં મોત નિપજ્યાનું તપાસમાં ખુલ્યું હતું. બનાવથી પરિવારમામં શોક છવાઇ ગયો હતો.

(12:46 pm IST)