Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ડો.વિધી ખોયાણીએ ત્રીજી વાર પ્લાઝમા ડોનેટ કર્યુઃ ડીસીપી જાડેજા દ્વારા સન્માન

રાજકોટઃ વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવી કપરી સ્થિતિમાં પણ લોકો એક-બીજાને મદદ કરી રહયા છે. કોરોનાની સારવારમાં પ્લાઝમાં ઉપયોગી થઇ રહયું છે. ત્યારે એમ.પી.એડ (ગોલ્ડ મેડાલીસ્ટ) ડો. વિધી ખોયાણીએ કોરોના પોઝીટીવ આવ્યા બાદ ત્રીજી વખત પ્લાઝમા ડોનેટ કરી અન્ય દર્દીઓને ઉપયોગી થયા છે. તેમના આ કાર્યને ડીસીપી શ્રી મનોહરસિંહ જાડેજા દ્વારા બીરદાવી સન્માન કરવામાં આવ્યું હતું.

(2:48 pm IST)