Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા કાલે મહારકતદાન શિબિર

હાસ્યકલાકાર ધીરૂભાઇ સરવૈયાના હસ્તે ઉદઘાટન

રાજકોટઃ ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા દર વર્ષે ૨ થી ૩ રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે. અત્યાર સુધીમાં ૧૧ જેટલા રકતદાન કેમ્પનું આયોજન થઇ ચુકયું છે અને ૧૨મો મહારકતદાન કેમ્પ દિવાનપરામાં આવેલ વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે આવતીકાલે રવિવારે સવારે ૯ થી સાંજે ૬ વાગ્યા સુધી ચાલશે.

જેનુ ઉદઘાટન જાણીતા હાસ્યકલાકાર શ્રી ધીરુભાઇ સરવૈયાના હસ્તે કરવામાં આવશે. રકતદાન કેમ્પમાં ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટનું ટ્રસ્ટી મંડળનો સહયોગ મળેલ છે. અધ્યક્ષ મુકેશભાઇ આર. વડગામા ઉપાધ્યક્ષ જગદીશભાઇ એમ. સોંડાગર, ટ્રસ્ટીઓ મુકેશભાઇ કે ભાડેશીયા, દિનેશભાઇ એન.  ખંભાયતા, વિનયભાઇ એમ. તલસાણીયાનો સમાવેશ થાય છે. દરેક રકતદાતાને મિલ્ટન પાણીનો જગ અપાશે તેમ સંસ્થાના  પ્રમુખ રસીકભાઇ બદ્રકીયાએ યાદીમાં જણાવ્યું છે. 

(3:54 pm IST)