Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

નાના મવા અર્જુન પાર્કના ગીતાબેન ધેટીયાનું બીમારી સબબ મોત

માયાણીનગર આવાસના કવાર્ટરમાં બેભાન થઇ જતા રાજેશભાઇ ભટ્ટનું મોત

રાજકોટ,તા. ૭ : નાના મવા સર્કલની બાજુમાં અર્જુન પાર્કમાં રહેતા પ્રૌઢાનું બીમારી સબબ બેભાન થયા બાદ તેનુ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.મળતી વિગત મુજબ નાના મવા સર્કલની બાજુમાં અર્જુન પાર્કમાં રહેતા ગીતાબેન અશોકભાઇ ધેટીગા (ઉવ.૫૧) ગઇ કાલે પોતાના ઘરે હતા ત્યારે બીમારી સબબ એકાએક બેભાન થઇ જતા તેને બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સ. એચ.જી. રાઠોડે કાર્યવાહી કરી હતી.

જ્યારે બીજા બનાવમાં માયાણીનગર આવાસ યોજના કવાર્ટરમાં બ્લોક નં.૩૭માં  કવાર્ટર નં. ૨૭૭૩માં રહેતા રાજેશભાઇ જયંતીભાઇ ભટ્ટ (ઉવ.૪૫) ગઇ કાલે પોતાના ઘરે હતા. ત્યારે એકાએક બેભાન થઇ જતા ૧૦૮માં જાણ કરતા ૧૦૮ની ટીમે સ્થળ પર પહોંચી ઇએમટી યશભાઇએ તપાસ કરતા તેનું મૃત્યુ નિપજ્યુ હોવાનું જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહએ કાર્યવાહી કરી હતી. 

(3:10 pm IST)