Gujarati News

Gujarati News

News of Wednesday, 6th October 2021

નવરાત્રી પહેલા રાજકોટની પર્ણકુટીર અને ચંદ્રપાર્કમાં કોરોનાના નવા કેસ નોંધાયા : સોસાયટીમાં ગરબાનું આયોજન નહીં થઇ શકે

-રાજકોટ કોરોના મુક્ત થવાની તૈયારી પૂર્વે પર્ણકુટીર અને ચંદ્રપાર્કમાં કોરોનાના નવા બે કેસ : શેરી ગરબાની મંજૂરી હશે તો પણ કેન્સલ થશે

નવરાત્રી પહેલા રાજકોટની પર્ણકુટીર અને ચંદ્રપાર્કમાં કોરોનાના નવા કેસ નોંધાયા છે આ બંને  સોસાયટીમાં ગરબાનું આયોજન નહીં થઇ શકે  તેમ મનાય છે

 રાજકોટમાં ગઈકાલ સુધી એકમાત્ર એક્ટિવ કેસ હતો તેવામાં રાજકોટ કોરોના મુક્ત થવાની તૈયારી પૂર્વે પર્ણકુટીર અને ચંદ્રપાર્કમાં કોરોનાના નવા બે કેસ નોંધાતા હવે સોસાયટીમાં શેરી ગરબા યોજાઈ શકશે નહીં, બંને સોસાયટીમાં  શેરી ગરબાની મંજૂરી હશે તો પણ કેન્સલ થશે

(3:14 pm IST)