Gujarati News

Gujarati News

News of Tuesday, 6th October 2020

રાજનીતિ કી પાઠશાલાના વોર્ડ પ્રમુખો જાહેર

રાજકોટ : શહેર રાજનીતિ કી પાઠશાલાના વોર્ડ વાઈઝ પ્રમુખોની તા.૦૨ઓકટોબરના રોજ મહાત્માગાંધી બાપુની જયંતી નિમિતે શહેરમાં વોર્ડ વાઈઝ વોર્ડ પ્રમુખોની નિમણુંક રાજનીતિ કી પાઠશાલાના મુખ્ય ફાઉન્ડર શ્રી અજય પાંડે અને રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ રાજપૂતે નિમણુંક કરેલ છે.શહેરમાં વોર્ડ વાઈઝ પ્રમુખોની નીમણુંકોને ગુજરાત સ્ટેટ પ્રમુખ ડો.કીર્તિબેન અગ્રાવતે મંજૂરી આપી શહેરમાં ઉચ્ચ કક્ષાનું સંગઠન બનાવવા અને શિક્ષિત પ્રબુદ્ઘ નાગરિકોને હેતુઓ તેમજ બંધારણના મૂલ્યો ઘરે ઘરે પહોંચાડવા માટે સક્ષમ હોદ્દેદારોની નિમણુંકો કરવા જણાવ્યું છે.સૌરાષ્ટ્ર પ્રમુખ ભાર્ગવભાઈ પઢિયાર અને શહેર પ્રમુખ મૌલેશભાઈ મકવાણાએ રાજકોટ શહેરમાં વોર્ડ વાઈઝ વોર્ડ પ્રમુખોની નીમણુંકો કરેલ છે જેમાં મિહિરસિંહ જરીયા, યશભાઈ ભીંડે, નિકુલભાઇ પરમાર, ભાર્ગવભાઈ ખતરી, મોહિતભાઈ કથ્રેચા, હિરેનભાઈ પટેલ, રાજુભાઈ ગરચર, યુવરાજસિંહ ઝાલા, સંકેતભાઈ રાઠોડ, ધર્મેશભાઈ રાઠોડ, ભાવેશભાઈ લુણસિયા, જીગ્નેશભાઈ પટેલની નીમણુંકો કરવામાં આવેલ છે તેવું સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા વિરલ ભટ્ટે જણાવ્યું છે.

(3:39 pm IST)