Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત ભરતીના ઇન્‍ટરયુ બંધ રાખોઃ NSUI

રાષ્‍ટ્રીય અનુસુચિત જાતિ આયોગને રજૂઆત, પુનઃ જાહેરાતની માંગ

રાજકોટ  તા. ૬ :.. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીમાં કરારી અધ્‍યાપકોની ભરતી થનારી છે. તેમાં અનામત નિતિનો ભંગ થતો હોવાની રજૂઆત એનએસયુઆઇુનાં રાજકોટ શહેર પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીએ રાષ્‍ટ્રીય અનુસુચિત જાતિ આયોગને કરી છે.
એનએસયુઆઇના પ્રમુખ નરેન્‍દ્ર સોલંકીએ રાષ્‍ટ્રીય અનુસુચિત જાતી આયોગને રજૂઆત કરતા જણાવ્‍યું છે કે તા. ૮ અને તા. ૯ જુનના સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા કરાર આધારીત પ૬ જગ્‍યા માટે ઇન્‍ટરવ્‍યુ બંધ રાખવા અને અનામત નિતીના પાલન માટે પુનઃ જાહેરાત પ્રસિધ્‍ધ કરવા માંગ કરી છે.

 

(4:22 pm IST)