Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

બિમાર કબૂતરને લેવા જતાં બીજા માળેથી પટકાતાં ચોકીદાર સંજય કોરડીયાનું મોત

કોળી યુવાન એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં જ પરિવાર સાથે રહેતો'તોઃ ત્રણ સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું : ઢેબર રોડ ગુરૂકુળ પાસે મનસા તિર્થ એપાર્ટમેન્‍ટમાં બનાવ

રાજકોટ તા. ૬: ઢેબર રોડ ગુરૂકુળ સામે મનસા તિર્થ એપાર્ટમેન્‍ટમાં પાર્કિંગમાં જ આવેલી ચોકીદારની રૂમમાં રહેતાં સંજય રમણિકલાલ કોરડીયા (ઉ.૨૮) નામના કોળી યુવાનનું એપાર્ટમેન્‍ટના બીજા માળેથી પડી જતાં ગંભીર ઇજા થતાં મોત નિપજ્‍યું હતું.
જાણવા મળ્‍યા મુજબ મનસા તિર્થ એપાર્ટમેન્‍ટમાં ચોકીદારની રૂમમાં રહી આ  સ્‍થળે ચોકીદારી કરતો સંજય રમણિકભાઇ કોરડીયા ગઇકાલે રાતે સાડા દસેક વાગ્‍યે બીજા માળે એક કબૂતર બીમાર હાલતમાં પડયું હોઇ તેને ઉતારવા જતાં પગ લપસતાં પડી જતાં માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. પરંતુ અહિ વહેલી સવારે દમ તોડી દીધો હતો.
મૃત્‍યુ પામનાર સંજય બે ભાઇ અને બે બહેનમાં નાનો હતો. સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર છે. ત્રણ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ભક્‍તિનગર પોલીસ હેડકોન્‍સ. એન. એ. ગઢવીએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(1:11 pm IST)