Gujarati News

Gujarati News

News of Monday, 6th June 2022

મવડી પ્‍લોટની શ્રીનાથજી સોસાયટીમાં વિજયભાઇ પટેલનો ફિનાઇલ પી આપઘાત

ઓપરેશન કરાવેલા પગમાં સખત દુઃખાવો થતો હોઇ પગલુ ભર્યાની શક્‍યતા

રાજકોટ તા. ૬: મવડી પ્‍લોટની શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં વિજયભાઇ રમણીકભાઇ કોરાટ (પટેલ) (ઉ.વ.૪૩)એ નિફાઇલ પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.
વિજયભાઇએ પરમ દિવસે રાતે ફિનાઇલ પી લેતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ ગઇકાલે દમ તોડી દીધો હતો. વિજયભાઇ બે ભાઇમાં મોટા અને અપરિણિત હતાં. તે લાદીકામ કરતાંહતાં. અગાઉ તેને અકસ્‍માત નડયો હોઇ પગમાં ઓપરેશન આવ્‍યું હતું. છેલ્લા ચારેક વર્ષથી ઓપરેશન વાળો પગ દુઃખતો રહેતો હોઇ આ કારણે કંટાળી જઇ પગલુ ભર્યાની શક્‍યતા જણાવાઇ હતી. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(1:07 pm IST)