Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

સંતોષીનગરમાં મધના પૈસા મામલે કોૈશિકને રામજીએ માર માર્યો

હનુમાન મઢી તિરૂપતિ સોસાયટીના બે નેપાળી યુવાન પર ભીલવાસમાં નેપાળીનો હુમલો

રાજકોટ તા. ૫: જામનગર રોડ પર સંતોષીનગર લોકમાન્‍ય તિલક પેટ્રોલ પંપ નજીક રહેતાં અને છુટક ડ્રાઇવીંગ કરતાં કોૈશિકભાઇ કનુભાઇ બાઘડા (કંસારા) (ઉ.૪૪)ને રાતે સાડા નવેક વાગ્‍યે પંપ નજીક હતો ત્‍યારે રામજી વાળંદે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી છાતીમાં ધોકો ફટકારતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

કોૈશિકભાઇના કહેવા મુજબ તેણે અગાઉ રામજીના ભાઇ જાડીયો ઉર્ફ ટકાને મધ આપ્‍યું હતું. તેના બસ્‍સો રૂપિયાની લેતીદેતી બાકી હોઇ આ પૈસા માંગતા રામજીએ ઝઘડો કરી હુમલો કર્યો હતો.

બીજા બનાવમાં રૈયા રોડ હનુમાન મઢી પાસે રહેતાં નેપાળી યુવાનો પ્રકાશ ધ્‍વજબહાદુર સુદારી (ઉ.૨૪) અને સુનિલ શંકરભાઇ પરિહાર (ઉ.૨૬) રાતે ભીલવાસમાં કૈલાસ પાન પાસે હતાં ત્‍યારે અજય નેપાળી સહિતનાએ ઝઘડો કરી લાકડીથી ફટકારી ઇંટના ઘા કરી ઇજા કરતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

(4:27 pm IST)