Gujarati News

Gujarati News

News of Friday, 5th August 2022

મંદિરે ચકલીના બચ્‍ચાને ખાંચામાં મુકતી વખતે જનાવર કરડયું: હરસુખનું મોત

ચોટીલાના આંકડીયાનો બનાવઃ સગીરે રાજકોટમાં દમ તોડતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૫: ચોટીલાના આંકડીયા ગામે રહેતાં હરસુખ ભીખુભાઇ જીંજુવાડીયા (ઉ.વ.૧૫)ને ગામના ચોરે મંદિરે હતો ત્‍યારે હાથમાં જનાવર કરડી જતાં બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં કોળી ઠાકોર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવ અંગે હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે નાની મોલડી પોલીસને જાણ કરી હતી. હરસુખ બે ભાઇમાં નાનો હતો. તેના પિતા ખેત મજૂરી કરે છે. હરસુખ બપોરે ગામના ચોરે મંદિરે હતો ત્‍યારે ત્‍યાં આવેલા ખાંચામાંથી ચકલીના બચ્‍ચા પડી જતાં તે બચ્‍ચાને મુકવા જતાં કોઇ જનાવર કરડી ગયું હતું અને તે બેભાન થઇ ગયો હતો. રાજકોટ ખસેડાયો હતો. પરંતુ દમ તોડી દીધો હતો.

(10:52 am IST)