Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ખોડલધામ પૂર્વ ઝોનમાં નવરાત્રિની જમાવટ : મહાનુભાવોની હાજરી

રાજકોટ : ખોડલધામ પૂર્વ ઝોન સમિતિ દ્વારા શ્રી રણછોડદાસજી આશ્રમનો વંડો, કુવાડવા રોડ ખાતે તા. ૨૬ થી ૫ ઓકટોબર સુધી નવરાત્રિ મહોત્‍સવનું આયોજન કરાયેલ છે. રોજ રાત્રે ૮ થી ૧૨ ગીત સંગીતના સથવારે વિવિધ જ્ઞાતિના બહેનો રાસ લઇ રહ્યા છે. મેદાન, લાઇટ, સાઉન્‍ડ, ગાયકો, સુરક્ષા વગેરેની દૃષ્‍ટિએ ઉત્તમ આયોજન છે. દરરોજ અલગ અલગ જ્ઞાતિના આગેવાનો આરતીમાં ભાગ લઇ રહ્યા છે. વિવિધ ક્ષેત્રના મહાનુભાવો મુલાકાત લઇ આયોજનને બિરદાવે છે. ખોડલધામના પ્રમુખ નરેશભાઇ પટેલ, પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ રૂપાણી, મેયર પ્રદિપ ડવ, ડે.મેયર દર્શિતાબેન શાહ, સાંસદ રામભાઇ મોકરિયા, ધારાસભ્‍ય જયેશ રાદડિયા, લલિત કગથરા, પૂર્વ ધારાસભ્‍ય ભરત બોઘરા, ભાજપના અગ્રણી ધનસુખ ભંડેરી, નીતિન ભારદ્વાજ વગેરેએ રાસોત્‍સવ નિહાળી પ્રશંસા વ્‍યકત કરી છે.

(3:43 pm IST)