Gujarati News

Gujarati News

News of Monday, 4th October 2021

રાષ્ટ્રપિતા પૂજ્ય ગાંધીજીની ૧૫૨ મી જન્મજયંતિની ઉજવણી : શહેર કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ સંપન્ન

રાજકોટઃ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ ભારત દેશના રાષ્ટ્રપિતા પૂજય ગાંધીજી ની ૧૫૨ મી જન્મજયંતિ પ્રસંગે રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદીની અધ્યક્ષતામાં પૂજય ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવેલ હતી. તે વખતની તસ્વીર. આ કાર્યક્રમમાં જેમાં રાજકોટ મહાનગરપાલિકા ના વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાદ્યેલા, ડી.પી.મકવાણા, રહીમભાઈ સોરા, ભરતભાઇ મકવાણા, દિલીપભાઈ આસવાણી, ઠાકરશીભાઈ ગજેરા, યુનુસભાઈ જુનેજા, મનિશાબા વાળા, દીપતિબેન સોલંકી, પ્રતિમાબેન વ્યાસ, શાંતાબેન મકવાણા, કેતનભાઇ જરીયા, નારણભાઇ હિરપરા, સુરેશભાઈ ગરૈયા, મૂકેશ પરમાર, સલીમભાઈ કારીયાણી, ગીરીશભાઈ પટેલ, નરેશભાઇ પરમાર, હીરાલાલ પરમાર , પરેશભાઈ સોલંકી, કનકસિંહ જાડેજા, સંજયભાઈ અજુડિયા, અજિતભાઈ વાંક, નાગજીભાઈ વિરાણી, પ્રભાતભાઈ ડાંગર, શામજીભાઈ, રવજીભાઈ ખીમસૂરિયા, ધીરુભાઈ ડાભી, કાલેખાનભાઈ , સહિતના કોંગ્રેસનાઆગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેવું કોંગ્રેસના કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટે જણાવ્યું હતું. 

(3:28 pm IST)