Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

ભગવતીપરાના રમેશભાઇ પ્રજાપતિ જૂગારમાં પૈસા હારી જતાં આપઘાત

રાજકોટ તા. ૩: ભગવતીપરામાં ઓમ શાંતિ સ્કૂલ પાસે રહેતાં રમેશભાઇ ગોવિંદભાઇ ચોૈહાણ (ઉ.વ.૫૨) નામના પ્રજાપતિ પ્રોૈઢ જૂગારમાં પૈસા હારી જતાં ઝેરી દવા પી આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

રમેશભાઇએ ગઇકાલે ઝેર પી લેતાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્યું હતું. બી-ડિવીઝનના અશ્વિનભાઇ અને રાઇટર વિશ્વજીતસિંહે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસના કહેવા મુજબ રમેશભાઇનું ડીડી લેવડાવવાની પ્રક્રિયા ચાલુ હતી ત્યાં જ તેઓ બેભાન થઇ ગયા હતાં અને બાદમાં દમ તોડી દીધો હતો.

પ્રાથમિક તપાસમાં એવું બહાર આવ્યું હતું કે જૂગારમાં પૈસા હારી જતાં તેણે આ પગલુ ભર્યુ હતું. મૃતકને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. જો કે પત્નિ અને સંતાનો અલગ રહે છે. અગાઉ રમેશભાઇ ડ્રાઇવીંગ કરતાં હતાં અને હાલમાં બેકાર હતાં. પોલીસે વિશેષ તપાસ યથાવત રાખી છે.

(12:55 pm IST)