Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

પરમાર પવાર રાષ્ટ્રીયસંઘના ઉપાધ્યક્ષપદે રાજેન્દ્રસિંહની વરણી

રાજકોટ તા. ૩ : રાજકોટ સ્થિત પરમાર ક્ષત્રીય સમાજ મુળી ચોવીસીના માનદ મંત્રી રાજેન્દ્રસિંહ જે. પરમાર મુળીની પરમાર પવાર રષ્ટ્રસંઘ ભારતના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણુંક થતા ઠેર ઠેરથી શુભેચ્છાઓ મળી રહી છે.

સંસ્થાના રાષ્ટ્રીય સંયોજક તરીકે કેપ્ટન સુરેશસિંહ પરમાર ભોપાલ છે તેમજ કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ગોપીનાથસિંહ પરમાર દિલ્હી છે. સંસ્થાના રાષ્ટ્રીય મહાસચિવ પદ ઉપર અરવિંદસિંહ પરમાર તેમજ બ્રિજેશસિંહ પરમાર દિલ્હી સંસ્થામાં કામ કરી રહ્યા છે. ગુજરતના પ્રમુખ તરીકે અશોકસિંહ પરમાર આણંદની નિમણુંક કરવામાં આવેલ છે. હાલમાં આ સંસ્થા ભારતના ૧૮ રાજયોમાં કાર્યરત છે. પરમાર સમાજના વિકાસ સંગઠન અને શિક્ષણ માટે આ સંસ્થા કાર્યરત છે.

રાજેન્દ્રસિંહ જે. પરમાર રાજપુત સમાજની ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલ છે જેમાં ગુજરાત રાજપુત, ગરાસીયા સમાજના કોર કમિટીના સભ્ય તેમજ રાજશકિત ક્ષત્રીય યુવક મંડળના પ્રમુખ તેમજ રાજા ભોજ જન કલ્યાણ સેવા સમિતિ રતલામના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી ગુજરાત રાજય ખેતીવાડી ખાતું પેન્શન સમાજ રાજકોટ જિલ્લા પેન્સન સમાજ અને રાજકોટની રાજપુત સમાજની સંસ્થા સાથે સંકળાયેલા છે.

શ્રી રાજેન્દ્રસિંહ પરમાર (મો. ૯૯રપર ૪૮રપ૯) ની નિમણુંકને રાજકોટ પરમાર સમાજના અગ્રણીઓ અનિરૂધ્ધસિંહ બી. પરમાર, ચંદ્રશેખરસિંહ એ.પરમાર, કનકસિંહ ટી. પરમાર, મહીરાજસિંહ એ. પરમાર, મનોજસિંહ એચ.પરમાર, વિક્રમસિંહ ડી.પરમાર, ડો. ક્રિપાલસિંહ કે. પરમાર, રવિરાજસિંહ પરમાર, તેમજ અમદાવાદ, ગાંધીનગર પરમાર સમાજનાં અગ્રણીઓ શ્રી તખતસિંહ એમ. પરમાર, દિવ્યરાજસિંહ પરમાર, મહેન્દ્રસિંહ જે. પરમાર પૂર્વ આઇએફએસ, જામનગર પરમાર સમાજના અગ્રણીઓ રવિરાજસિંહ એ.પરમાર, રઘુવીરસિંહ વી.પરમાર, સહદેવસિંહ એમ. પરમાર, સુરેન્દ્રનગર પરમાર સમાજના અગ્રણીઓ ધર્મેન્દ્રસિંહ આર.પરમાર, રાજેન્દ્રસિંહ પરમાર, નીરૂભા જી. પરમાર, તેમજ ભાવનગર પરમાર સમાજના અગ્રણીઓ વિજયસિંહ પરમાર, જગદીશસિંહ ટી.પરમાર, ગાંધીનગર લોકેવાળાના પ્રમુખશ્રી અશોકસિંહ ટી.પરમાર વડોદરાના શ્રી અનિરૂધ્ધસિંહ (કાળુભા) પરમાર વગેરેએ આવકારી અભિનંદન પાઠવેલ છે.

(4:06 pm IST)