Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

સેવાનો રંગ, જનતાને સંગ : સમર્પણ યંગ ગ્રુપ દ્વારા જનસેવકોનું સન્માન

રાજકોટ : સમર્પણ યંગ ગ્રુપ સંત કબીર રોડ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં કોરોના વખતે શ્રેષ્ઠ કામગીરી કરનારા સંસ્થાના શુભેચ્છક ચૂંટાયેલા પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવેલ. સન્માનિત આગેવાનોમાં ધારાસભ્ય અરવિંદ રૈયાણી, કોર્પોરેટરો નયનાબેન વિનોદભાઇ પેઢડિયા, પરેશ પીપળિયા, ભાવેશ દેથરિયા વગેરેનો સમાવેશ થાય છે. ભાજપના મહામંત્રી કિશોર રાઠોડનું પણ સન્માન કરાયેલ. જનસેવકોને સમર્પણ ગ્રુપની સેવા પ્રવૃતિને બીરદાવી હતી. કાર્યક્રમની સફળતા માટે ગ્રુપના પ્રમુખ વિનોદ ચોટલિયા, મંત્રી કિશોર રાઘવાણી, સંગઠન મંત્રી ગોપાલ ફીચડીયા, ખજાનચી ભરત મોજીદ્રા સભ્યો દિનેશ રાઠોડ, કુણાલ ંસંચાણિયા, વિનોદ માલકિયા, સમીર કામદાર, હિરેન ચોટલિયા, યોગેશ ચોટલિયા, દીપ ચોટલિયા, માધવ ચોટલિયા, ભાવિન ચોટલિયા, ઉતમ સીણોજીયા, ચેતન ઉધાડ, ચેતન ઉધાડ, વિવેક રાઘવાણી, ધીરજ સાપરિયા, કિશોર રામાણી, નિલેષ લીંબાસીયા વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:36 pm IST)