Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

શહેર કોંગ્રેસ ઓબીસી વિભાગના પ્રમુખ તરીકે હિમાલયરાજ રાજપૂતની નિમણુંક

રાજકોટ : શહેર કોંગ્રેસ સમિતિ ઓબીસી વિભાગના પ્રમુખ તરીકે હિમાલયરાજ અશોકભાઇ રાજપૂતની વરણી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવેલ છે. હિમાલયરાજને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન તામ્રધ્વજ શાહુજી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઓબીસી વિભાગના ચેરમેન ઘનશ્યામભાઇ ગઢવી દ્વારા નિમણુંક કરવામાં આવેલ છે, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડા અને બાપુનગર અમદાવાદના ધારાસભ્ય હિમતસિંહ પટેલનો હિમાલયરાજ રાજપૂતે આભાર માન્યો હતો તેમજ શહેરમાં ઓબીસી સંગઠનને વધુ મજબુત બનાવવા અપીલ કરી છે. આ તકે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઇ ત્રિવેદી, વિપક્ષી નેતા ભાનુબેન સોરાણી, પૂર્વ પ્રમુખ મહેશભાઇ રાજપૂત, જશવંતસિંહ ભટ્ટી, ડો. યજ્ઞેશભાઇ જોશી, ડો. રાજેશભાઇ ત્રિવેદી, ઘનશ્યામસિંહ જાડેજા, આશીષભાઇ વાઢેર, રણજીતભાઇ રાઠોડ, ગીરીશભાઇ ઘરસંડિયા, કેતનભાઇ જરીયા, નારણભાઇ હીરપરા, રવિભાઇ ડાંગર, ચંદ્રેશભાઇ રાઠોડ, હરદીપભાઇ રાઠોડ, પ્રિન્સ ખુમાણ, ગોપાલ બોરાણા, નાથુભાઇ સોલંકી, પ્રતિક રાઠોડ, ગોપાલ મોરવાડીયા, ધીરૂભાઇ ડાભી, વિરલ ભટ્ટ સહિતના કોંગ્રેસ પરિવારના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. અને શ્રી હિમાલયરાજ રાજપૂતની નિમણુંકને આવકારી હતી.

(2:43 pm IST)