Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

ભરવાડ સમાજના બ્રહ્મલીન મહંત ક્રિષ્નાપુરીબાપુને સોમનાથમાં સમાધી

રાજકોટ : ભરવાડ સમાજની ગુરૂગાદી થરા (ઝાઝાવડા) ના કોઠારી તેમજ નવનિર્મિત શિવપુરીધામ સોમનાથના મહંતશ્રી ક્રિષ્નાપુરીબાપુ ગુરૂ શિવપુરીબાપુનો દેહાંત થતા અંતિમ દર્શન માટે થરા લઇ જવાયા હતા. પાલખી યાત્રા યોજવામાં આવતા વિશાળ સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધો હતો. બાદમાં સોમનાથ ખાતે તેમને સમાધી આપવામાં આવી હતી. વ્યસન મુકિતના હિમાયતી પૂ. ક્રિષ્નાપુરીબાપુની વિદાયથી ભરવાડ સમાજને મોટી ખોટ પડી હોવાનું રાજુભાઇ જુંજાની યાદીમાં જણાવાયુ છે. 

(2:41 pm IST)