Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મારામારીના કેસમાં જેલમાં રહેલા દિલાવર મહેરાણીને માથામાં ઇજા હોવાથી દાખલ

હત્યા કેસના કેદી સંદિપ ચારોલાને ઉલ્ટીઓ થતા સારવારમાં

રાજકોટ તા. ૩ : સિવિલ હોસ્પિટલ ચોકમાં થયેલી મારામારીના ગુનામાં જેલહવાલે થયેલા આરોપીને માથામાં ઇજા થઇ હોઇ તેથી તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ સાતમ - આઠમના દિવસે સિવિલ હોસ્પિટલ ચોકમાં બજરંગ વાડી શેરી નં. ૧૫માં રહેતા દિલાવર મહંમદભાઇ મહેરાણી (ઉ.૫૦)એ ઇકો કાર ચાલક પર છરી વડે હુમલો કર્યો હતો. આ બનાવમાં એ-ડીવીઝન પોલીસે તેની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો. મારામારીમાં દિલાવરને પણ માથાના ભાગે ઇજા થઇ હોઇ તેથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યારે બીજા બનાવમાં તાલુકા પોલીસ મથક હેઠળના વિસ્તારમાં થયેલી હત્યાના ગુનામાં ત્રણ વર્ષથી જેલમાં રહેલા સંદીપ રણજીતભાઇ ચારોલા (ઉ.૨૮)ને ઉલ્ટીઓ થતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. આ અંગે પ્ર.નગર પોલીસ મથકના ગૌતમભાઇએ કાર્યવાહી કરી હતી.

(2:41 pm IST)