Gujarati News

Gujarati News

News of Friday, 3rd September 2021

મહેશ્વરી સોસાયટીની ફરઝાનાબેને પુત્રને જન્મ આપ્યો એ સાથે જ મોત

કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં દમ તોડ્યોઃ અજમેરી પરિવારમાં માતમ

રાજકોટ તા. ૩: કોઠારીયા રોડ દેવપરા શાક માર્કેટ પાછળ મહેશ્વરી સોસાયટીમાં  રહેતી ફરઝાના અલફાઝ અજમેરી નામની પરિણિતાએ ગઇકાલે નવાગામ પેટા આરોગ્ય કેન્દ્રમાં ડિલીવરી થતાં પુત્રને જન્મ આપ્યો હતો. પરંતુ જન્મ સાથે જ આ બાળકનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

ફરઝાનાબેનને ગઇકાલે બપોર બાદ પ્રસુતિની પીડા ઉપડતાં આરોગ્ય કેન્દ્રમાં લઇ જવાતાં ત્યાં તેણે દિકરાને જન્મ આપ્યો હતો. પણ જન્મ સાથે જ બાળક બેભાન જેવું હોઇ રાજકોટ કે. ટી. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ બાળકને મૃત જાહેર કરાયું હતું. તબિબે પોલીસ કેસ જાહેર કરતાં હોસ્પિટલ ચોકીના આર. એસ. સાંબડે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી. ફરઝાનાબેનનું આ પહેલુ જ સંતાન હતું. પતિ અલફાઝભાઇ ગાદલા ઓશીકા બનાવવાનું કામ કરે છે.

(12:59 pm IST)