Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd August 2022

ધર્મેન્‍દ્રભાઇ રાઠોડને ચેક રિટર્નના કેસમાં ૧ વર્ષની સજા- વળતર ચુકવવા હુકમ

રાજકોટ નાગરિક બેંકના ખાતેદાર

રાજકોટઃ બેંકમાંથી લોન લઇ ભરપાઇ ન કરનાર ડિફોલ્‍ટરો માટે ફરી એકવાર સજા સાથે દાખલારૂપ ચુકાદો રાજકોટની કોર્ટે આપ્‍યો છે.

વિગતથી જોઇએ તો, રાજકોટ નાગરીક સહકારી બેંક લિ.ની બેડીપરા શાખાના ખાતેદાર ધર્મેન્‍દ્રભાઇ ભનુભાઇ રાઠોડને ધિરાણ અપાયેલ હતું. થોડા સમય બાદ આ ખાતુ ડિફોલ્‍ટર (એનપીએ) થયું હતું. ખાતેદારે આપેલ વસુલી રકમનો ચેક પરત ફર્યો હતો.

જેથી બેંકે તા. ૧૬-૫-૨૦૧૭ના ધર્મેન્‍દ્રભાઇ ભનુભાઇ રાઠોડ સામે રાજકોટની નેગોશીયેબલ કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ દાખલ કર્યો હતો. ખાતેદારે મૂળ ચેક રિટર્નની રકમ જેટલી રકમ જમા કરાવી ન હતી.

આથી, ચીફ જ્‍યુડીશીયલ મેજીસ્‍ટ્રેટ નામદારની કોર્ટે ધી નેગોશીયેબલ ઇન્‍સ્‍ટુમેન્‍ટ એકટની કલમ-૧૩૮ હેઠળ ધમેન્‍દ્રભાઇ ભનુભાઇ રાઠોડને એક વર્ષની જેલની સજા અને ચેક રિટર્નના વળતરરૂપે રૂા.૨,૪૮,૧૯૬/- રકમ ચુકવવાની સજા ફરમાવી હતી અને આ રકમ ચુકવવા માટે બે માસનો સમય આપ્‍યો હતો. જો ધમેન્‍દ્રભાઇ ભનુભાઇ રાઠોડ આ રકમ ન ચુકવેતો બીજા એક વર્ષની વધારાની કેદની સજા ફરમાવી હતી.

ચેક રિટર્નના કેસની આ કામગીરીમાં બેંક વતી વિદ્વાન એડવોકેટ રવિભાઇ ગોગિયા, ફરિયાદી ભાવિનભાઇ વેકરીયા હતા.

ચેક રિર્ટનના કેસમાં એક વર્ષની જેલની સજા અને વળતરનો ચુકાદો આવતાં બેંકનાં અન્‍ય બાકીદારોમાં ફફડાટ અને ગભરાટ ફેલાઇ ગયો છે.

(4:27 pm IST)