Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

હિંગવાલા સ્‍થા.જૈન સંઘમાં સાધર્મિક પરિવારમાં કેરી વિતરણ

રાજકોટ,તા. ૨: બૃહદ મુંબઇᅠ સ્‍થાનકવાસી જૈન સંઘોમાં મુઠી ઉંચેરો સ્‍થાન ધરાવતો હિંગવાલા સ્‍થા.જૈન સંઘ ધાર્મિક પ્રવૃત્તિ, સંત સતીજીની વૈયાવચની સાથો સાથ સાધર્મિક પરિવારમાં સહાય માટે સદાય અગ્રેસર રહેલ છે.સંઘ સેવાની પ્રવૃતિમાં દાતાઓ ઉદાર દિલે દાનનો ધોધ વહાવતા હોવાથી સંઘ પ્રમુખ બીપીનભાઈ સંઘવી ના માર્ગ દર્શક હેઠળᅠ મુકેશભાઈ કામદાર, ભરતભાઇ જસાની, લાલિતભાઈ ઠક્કર, હરેશભાઇ અવલાની, જયેશભાઇ ગાંધી,છાયાબેન કોટિચા સતત પ્રવૃત્તિમય રહે છે દર વર્ષ ની જેમ આ વર્ષે ૨ જી મે સોમવાર ના સંઘ માં સાધર્મિક કાર્ડ હોલ્‍ડર તથા બૃહદ ઘાટકોપર ના દરેક સ્‍થા.જૈન સંઘના સ્‍ટાફ પરિવાર માટે ધનલક્ષ્મી બેન મહેન્‍દ્રભાઈ મેહતા પરિવાર કાયમી દાતા તથા અન્‍ય સહકારી દાતા ઓ ના સહાય થીᅠ ઉર્વીશભાઈ વોરા ની મહેનતથી રત્‍નાગીરીᅠ ઓર્ગેનિક હાફૂસ કેરી ૨ ડઝન ના બોક્‍સ દરેક ને આપવામાં આવેલ. આ કેરી વિતરણ ની જવાબદારી હરેશ અવલાની અને કમલેશ દોશી એ સંભાળેલ. તેમના માર્ગદર્શન હેઠળ સંઘમાં દરરોજ ફૂડ પેકેટ તથા છાસ વિતરણ કરવામાં આવે છે.

 

(4:47 pm IST)