Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

પરશુરામના જય જયકારથી રાજકોટના માર્ગો ગુંજી ઉઠયા : બ્રહ્મસેના દ્વારા બાઇક રેલી

રાજકોટ : અજરા અમર ચિરંજીવ ભગવાન શ્રી પરશુરામજીની આજે જન્‍મ જયંતિ હોય રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર કચ્‍છમાં ઉત્‍સવી આયોજનો કરાયા છે. દરમિયાન રાજકોટમાં બ્રહ્મસેના દ્વારા સવારે બાઇક રેલી યોજવામાં આવતા માર્ગો જય પરશુરામના નાદથી ગુંજી ઉઠયા હતા. પાણીના ઘોડા પાસે પેડક રોડથી આ રેલીને પ્રસ્‍થાન કરાવાયુ હતુ. સવારે વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. કેક કાપી પ્રસાદ વિતરણ કરવામાં આવેલ. ચા-નાસ્‍તાની પણ વ્‍યવસ્‍થા કરાઇ હતી. ટુ વ્‍હીલર અને ફોર વ્‍હીલર સાથેની આ રેલી મુખ્‍ય માર્ગો પર ફરી પંચનાથ મંદિરે વિરામ પામી હતી. તેમ બ્રહ્મસેના સ્‍થાપક અધ્‍યક્ષ જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે. (તસ્‍વીર : અશોક બગથરીયા)

(4:18 pm IST)