Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જૈન અગ્રણી કેતનભાઈ સંઘવી તથા ચેતનભાઈ મહેતા દ્વારા મુમુક્ષુ નિસર્ગ કુમારનું બહુમાન

રાજકોટ, તા.૩: આગામી તારીખ ૭ મી ના રોજ રાજકોટ ખાતે શાસન પ્રભાવક પુજ્‍યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય ગુણ શીલ સુરીશ્વરજી મહારાજ ના શિષ્‍યરત્‍ન પૂજ્‍યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વીજય હર્ષશીલ સુરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુમુક્ષુ નિસર્ગકુમાર પેલેસ રોડ વર્ધમાન નગર મુકામે જૈન ભાગવત દીક્ષા ગ્રહણ કરશે ત્‍યારે તેમને આ સંયમભાવ ને બિરદાવવા જૈન અગ્રણી તથા જીવદયા પ્રેમી કેતન ભાઈ સંઘવી તથા  ચેતન ભાઈ મહેતા દ્વારા મુમુક્ષુ  ચી નિસર્ગ કુમાર નું બહુમાન કરવામાં આવ્‍યું હતું અત્રે ઉલ્લેખનીય એ છે કે હાલ કેતનભાઈ સંઘવી ને ઉપવાસ ના વર્ષીતપ ની કઠિન આરાધના ચાલી રહી છે.

(4:15 pm IST)