Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

બ્રહ્મઅગ્રણી જીતુ મહેતાના નિવાસસ્‍થાને પૂજન - અર્ચન - મહાઆરતી - પરશુરામ ગાથાનું વિમોચન

રાજકોટઃ શ્રી સૌરાષ્‍ટ્ર- કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજના અગ્રણી જીતુભાઈ મહેતા (મો. ૯૪૨૬૨ ૫૦૭૧૧) દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન પરશુરામજીના જન્‍મોત્‍સવની પૂજન- અર્ચન અને મહાઆરતી સાથે ભવ્‍ય ઉજવણી કરવામાં આવેલ.  રામનાથપરા સ્‍થિત આવેલ જીતુ મહેતાના નિવાસસ્‍થાને વહેલી સવારથી જ ભગવાનશ્રી પરશુરામજીનો ષોડષોપચાર અને વૈદિક મંત્રોચ્‍ચાર સાથે પૂજન- અર્ચન બ્રાહ્મણો દ્વારા વેદધ્‍વની અને ‘જય જય પરશુરામ'ના નારા સાથે શષા  અને શાષાપૂજન પણ કરવામાં આવેલ.  આ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમવાર ગજાનંદભાઈ દવે લીખીત પરશુરામ ગાથાનું વિમોચન બ્રહ્મ અગ્રણીઓના હસ્‍તે કરવામાં આવેલ. આ પ્રસંગે રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, કશ્‍યપ શુકલ, ડો. જૈમીન ઉપાધ્‍યાય, કિરીટ પાઠક, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, જયંત ઠાકર, તેજસ ત્રિવેદી, નરેન્‍દ્રસિંહ ઠાકુર વિ. ઉપસ્‍થિત રહ્યા હતા. (તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(4:14 pm IST)