Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ભગવતીપરામાં બિમારીથી કંટાળી વૃધ્‍ધા રાજુબેન સોલંકીનો આપઘાત

સવારે ભાણેજની વડીયા જાન ગઇ અને નાનીએ અંતિમ પગલુ ભર્યુઃ સોલંકી પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૩: ભગવતીપરા જયપ્રકાશનગરમાં રહેતાં રાજુબેન વિનુભાઇ સોલંકી (ઉ.૬૨) નામના વૃધ્‍ધાએ સવારે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી.
રાજુબેનના પરિવારજનોના કહેવા મુજબ સવારે રાજુબેનની દિકરીના દિકરા (ભાણેજ) વિવેકની વડીયા જાન ગઇ હતી. એ પછી રાજુબેને એસિડ પી લેતાં હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ મોત નિપજ્‍યું હતું. તેમના પતિ વિનુભાઇ બકાલાનો ધંધો કરે છે. સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી છે. ડાયાબીટીસ સહિતની બિમારીઓથી કંટાળી જઇ આ પગલુ ભર્યાનું પરિવારજનોએ કહ્યું હતું. બી-ડિવીઝન પોલીસને જાણ થતાં હેડકોન્‍સ. અશ્વિનભાઇએ જરૂરી કાર્યવાહી કરી હતી.

 

(5:08 pm IST)