Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

જે.કે. વેલનેસ ફાઉન્‍ડેશન દ્વારા સ્‍નેહમીલન-રક્‍તદાન કેમ્‍પ

 રાજકોટ : જે.કે વેલનેસ ફાઉન્‍ડેશન ચેરમેન અને પૂર્વ કોર્પોરેટર જયંતીભાઇ સરધારની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે જે.કે વેલનેસ ફાઉન્‍ડેશન દ્વારા રાજકોટના લોઠડા, પીપલાણા, પડવલા ઇન્‍ડસ્‍ટ્રીયલ એસોસીએશન સહયોગથી બ્‍લડ ડોનેશન કેમ્‍પનું આયોજન કરવામાં આવેલું હતું   નાથાણી બ્‍લડબેંક અને સૌરાષ્‍ટ્ર વોલેન્‍ટરી બ્‍લડ બેંકનો સહયોગ મળ્‍યો હતો.  આ પ્રસંગે ભવનાથ આશ્રમ, ભાયાસરના મહંત શ્રી પ.પૂ. વશિષ્‍ટનાથજી બાપુના હસ્‍તે બ્‍લડ ડોનેશન કેમ્‍પનું ઉદઘાટન કરવામાં આવેલ . ૩૦૩ બોટલ રક્‍ત એકત્ર કરવામાં આવ્‍યું હતું. આ તકે ૩૦૩ જરૂરીયાતમંદોને રાશનકીટ અપર્ણ કરવામાં આવી હતી. જે.કે. વેલનેશ ફાઉન્‍ડેશન અને લોઠડા-૫ીપલાણા-પડવલા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ જયંતીભાઈ સરધારાએ પ્રાસંગિક પ્રવચન કરેલ હતું. ઉપ પ્રમુખ સંજયભાઈ પડારીયા, સેક્રેટરી હરેશભાઈ પડારીયા, હેપીનભાઈ સરધારા, હાર્દિકભાઈ સગપરીયા, તનભાઈ સગપરીયા, પ્રિયાંકભાઈ ખુંટ,  મુકેશભાઈ સખીયા, અમિતભાઈ ખૂંટ, હિતેશભાઈ નશીત, ખીમરાજભાઈ મારૂ, પાર્થભાઈ કાછડીયા તેમજ લોઠડા-પીપલાણા- પડવલા ઈન્‍ડસ્‍ટ્રીયલ એસોસિએશનના ઉપ પ્રમુખ સંજયભાઈ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઈ બાલધા, ખજાનચી વિઠ્ઠલભાઈ બુસા, ડાયરેક્‍ટર સર્વેશ્રી નિલેશભાઈ મોલીયા, કમલશેભાઈ મોવલીયા (ગંગા સોલાર), કમલેશભાઈ બોરિચા(પેલિકન), અરદિઈ બેડીયા, અશોકભાઈ વેકરીયા, ચેતનભાઈ કોઠીયા, કૌશિકભાઈ ખુંટ, લક્ષ્મણભાઈ હરસોડા, ગજેન્‍દૂસિંહ જાડેજા, કલ્‍પેશભાઈ ઢોલરીયા, રાકેશભાઈ ગોંડલીયા, કેશુભાઈ વાડોદરિયા, ભાવેશભાઈ ટીલાળા, દિનેશભાઈ મુંગપરા, પ્રતાપભાઈ રામોલિયા, જેન્‍તીભાઈ મુંગરા, ધીરૂભાઈ રૂપાપરા સહીતના ઉપસ્‍થિત રહયા હતા.

 

(3:40 pm IST)