Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd May 2022

ડો.એન.ડી.શીલુના ધર્મપત્‍નિ રૂપાબેનની આવતીકાલે સાંજે ૪ વાગ્‍યે સ્‍મશાનયાત્રા

રાજકોટના જાણીતા ડોક્‍ટર નવલભાઈ શીલુ (જામનગર ભવસુખભાઈ શીલુ, રાજકોટ હસમુખભાઈ શીલુના ભાઈ)ના ધર્મપત્‍ની,  પુત્રો શ્રી દ્વિજેન (લન્‍ડન), આશુતોષ, પુત્રી પૂર્વા યશેષ ભટ્ટના માતૃશ્રી, રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર રાજકોટ નગર પ્રાથમીક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્‍યક્ષ રાજકોટ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ ગુજરાત ભાજપના મહિલા અગ્રણી અને જામનગર ભાજપના મહિલા મોરચાના પ્રભારી તરીકે જવાબદારી સંભાળી ચૂકેલા એવા શ્રીમતિ રૂપાબેન શિલુ (ઉ.વ. ૬૩)નું  ટુંકી બીમારી સબબ સારવાર દરમિયાન અમદાવાદ ખાતે આજરોજ દુઃખદ  અવસાન થયેલ છે.

તેમની અંતિમયાત્રા તા. ૪ના બુધવાર સાંજે ૪ વાગ્‍યે તેમના નિવાસસ્‍થાનેથી ડો. નવલભાઇ શીલુ ‘દ્વિ જૈન', ૨૩ ડોક્‍ટર સોસાયટી, સાધુવાસવાણી રોડ, સન સીટી ની સામે રાજકોટ  ખાતેથી નીકળી મોટા મોવા સ્‍મશાને જશે.

 

(3:54 pm IST)