Gujarati News

Gujarati News

News of Saturday, 3rd February 2018

વ્યાજની ઉઘરાણી-ધમકીના કારણે પો.કમિ. કચેરીના આપઘાત કેસમાં આરોપી જામીન પર

રાજકોટ તા.૩: અત્રે પોલીસ કમિશ્નર કચેરીમાં દવા પી જનાર ગુજરનાર હેમચંદ્ર જગદીશભાઇને મરવા માટે મજબુર કરવાના ગુનામાં આરોપી ચિરાગ દિનેશભાઇ ઉર્ફે મામા ચાવડાને રાજકોટના એડી.સેશન્સ જર્જ જામીન પર મુકત કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, રાજકોટ શહેરમાં મીલપરામાં રહેતા ગુજરનાર હેમચંદ્રના પિતા જગદીશભાઇએ રાજકોટ શહેર પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આરોપીઓ (૧)દિનેશ ઉર્ફે મામા ડાંગર, (૨)દિવ્યેશ કવા, (૩)ચિરાગ દિનેશભાઇ ડાંગર સામે એ મતલબની ફરીયાદ નોંધાવેલ કે, આરોપીઓ પાસેથી રૂ.૧૧,૫૦,૦૦૦ની લોન લીધેલ, જે રકમ આરોપીઓને નાગરીક બેન્કના ત્રણે ચેકો આપી રકમ ચુકવી દીધેલ છતા તા.૦૮-૦૧-૨૦૧૮ના સાંજના સમયે ફરીયાદીના ઘરે જઇ વ્યાજના રૂ.૨,૮૦,૦૦૦ બાબતે પઠાણી ઉઘરાણી કરવા ગાળો આપી બે ત્રણ દિવસમાં વ્યાજની પુરી રકમ નહી ચુકવે તો બન્નેને જાનથી મારી નાખીશુ, તેવી ધમકી આપેલ ફરીયાદીના દિકરા ગુજરનાર હેમચંદ્ર આરોપીનો ઓફીસે વ્યાજ ઓછુ કરવા માટે જતા ત્રણેય આરોપીઓએ ફરીયાદીના દિકરાને ગાળો આપી, ઢીકા પાટુનો માર મારતા ફરીયાદીનો દિકરો હેમચંદ્ર કંટાળી જઇ પોલીસ કમિશ્નર ઓફીસ ફરીયાદ કરવા જતા ત્યાં ઝેરી દવા પી લેતા ગુજરી જતા મરવા માટે મજબુર કરવા સબંધેના ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ હતો. જે ગુનામાં ચિરાગ ચાવડાએ જામીન અરજી કરી હતી. જેને કોર્ટે મંજુર કરી હતી.

ઉપરોકત કામમાં આરોપી ચિરાગ ચાવડા વતી રાજકોટના એડવોેકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કૃણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલ હતા.(૧.૯)

 

(4:06 pm IST)