Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

જન્માષ્ટમી બાદ બદલીનો ઘાણવો કાઢતા રાજકોટ મ્યુ. કમિશનરઃ પી.એ. ચુડાસમા નિવૃત થતા થઇ બદલીઓઃ કમિશનર વિભાગના રામાનુજ, બ્રિજ સેલના પરસાણા અને સ્માર્ટ સીટીના રાવલની બદલી

રાજકોટ : મહાનગરપાલિકાના કમિશનર વિભાગમાં આસીસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતા આર. એન. ચુડાસમા ઉકત વંચાણે-૧ નાં હુકમથી તા. ૩૧ ઓગસ્ટના રોજ વયનિવૃત થયા છે. જેથી જાહેર સેવાના હિતાર્થે તથા વહીવટી સરળતા ખાતર શ્રી એન. કે. રામાનુજ (આસી. મેનેજર), શ્રી ચુડાસમા હસ્તકની પી. એ. ટુ કમિશનર તથા ઇ.ચા. આસી. કમિશનર તરીકેની કામગીરી કમિશનર વિભાગ, શ્રી એ. જે. પરસાણા (નાયબ કાર્યપાલક ઇજનેર-સીવીલ), નાયબ કાર્યપાલક ઇજનેર કમિશનર વિભાગ, તથા શ્રી એ. એ. રાવલ (નાયબ કાર્યપાલક ઇજનેર-સીવીલ) નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે શ્રી પરસાણા હસ્તકની બ્રીજ સેલની તથા AMRUT, SJMMSVY  ની વધારાની કામગીરી સોંપવામાં આવી છે.

સ્માર્ટ સીટી સેલ ખાતે નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી રાવલ હસ્તકની કામગીરી અંગેની વ્યવસ્થા જનરલ મેનેજરશ્રી (સ્માર્ટ સીટી)એ અલગથી કરવાની રહેશે.

આ હુકમનો તાત્કાલીક અસરથી ચુસ્તપણે અમલ કરવાનો રહેશે. તેમ મ્યુનિસીપલ કમિશનરશ્રી અમિત અરોરાએ જણાવ્યું છે.

(4:13 pm IST)