-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Thursday, 2nd September 2021
રાજકોટ એસટીને બખ્ખા : સાતમ - આઠમના તહેવારોમાં ૧૧૦ એકસ્ટ્રા બસો દોડાવાઇ : ૭ દિ'માં ૩ થી ૩ાા કરોડની ધોધમાર આવક
હજુ આજનો દિ' એકસ્ટ્રા બસો દોડાવાશે : કાલથી બંધ : તમામ બસો હાઉસફૂલ ગઇ
રાજકોટ તા. ૨ : સાતમ - આઠમના તહેવારોએ રાજકોટ એસટીને બખ્ખા કરાવી દિધા હતા. લોકો બહાર જવા ઉમટી પડતા રાજકોટથી લાંબા અને ટુંકા અંતરની તમામ બસો હાઉસફુલ દોડી હતી.
અધિકારી સૂત્રોના કહેવા મુજબ સાતમ - આઠમના તહેવારોમાં મુસાફરોનો ધસારો - ચિક્કા ટ્રાફિકને કારણે રોજની આવક ૫૦ લાખને પણ વળોટી ગઇ હતી.
મુસાફરોનો એટલો બધો ધસારો હતો કે ૬ થી ૭ દિવસમાં રાજકોટ એસટી ડિવીઝને એકલા રાજકોટ ડેપો ઉપરથી જ ૧૧૦ જેટલી એકસ્ટ્રા બસો દોડાવાઇ હતી. આ ૭ દિ'માં રોજની આવક ૫૦ લાખે પહોંચતા ૭ દિ'માં ડિવીઝનને ૩ થી ૩ાા કરોડની બેસૂમાર આવક થઇ છે.
દરમિયાન ડિવીઝનલ મેનેજર શ્રી કલોતરાએ 'અકિલા'ને જણાવ્યું હતું કે, આજે પણ હજુ એકસ્ટ્રા બસો દોડાવાશે, કાલથી બંધ કરાશે. આ વખતે કોરોનાના કેસો સાવ નહિવત હોય લોકો ફરવા નીકળી પડયા અને તંત્રને સાતમ - આઠમ ફળી છે.
(3:48 pm IST)