Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કોટેશ્વર મંદિરે જન્માષ્ટમી ઉજવણી

 કોઠારીયા કોલોનીમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઇ હતી. કાનુડાની આકર્ષક મઢુલી તૈયાર કરી ધજા પતાકાનો શણગાર કરવામાં આવ્યો હતો. ધૂન-ભજન-મહાઆરતી, રાસ ગરબાથી કૃષ્ણ ભકિત કરાઇ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા કોટેશ્વર પરિવારના વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, બટુકસિંહ જાડેજા, પરેશભાઇ કારીયા, શનિ જાદવ, પ્રતાપસિંહ જાડેજા, જયભાઇ આસોડીયા, સિધ્ધરાજસિંહ જાડેજા, દીલીપસિંહ જાડેજા, ક્રિપાલસિંહ જાડેજા, ડો. વિશાલભાઇ પરમાર, સાગર પરમાર, વિશાલ ચૌહાણ, મનોજ મકવાણા, હિતેન જાદવ, વિશ્વજીતસિંહ જાડેજા, રૂષીરાજસિંહ જાડેજા વગેરેએ જહેમત ઉઠાવી હતી. તેમ મંદિરના પુજારી રસીકગીરી બાપુની યાદીમાં જણાવાયુ છે.

(2:46 pm IST)