Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

કરણપરા,જામટાવર અને ભીલવાસ ચોકમાંથી બેભાન મળેલા ત્રણ અજાણ્યા પુરૂષના મોત

મૃતકોના વાલીવારસ હોય તો એ-ડિવીઝન અને પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨: અલગ અલગ બનાવમાં બેભાન મળેલા ત્રણ અજાણ્યા પુરૂષના મોત નિપજ્યા હતાં. કરણપરા-૨૨ના ખુણેથી આશરે ૫૦ વર્ષના અજાણ્યા પુરૂષ તા. ૨૯/૮ના રોજ બેભાન હાલતમાં મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ   અહિ મોત નિપજ્યું હતું. મૃતકના માથાના વાળ અડધા સફેદ છે અને અડધી સફેદ દાઢી છે. ભીક્ષુક જેવા લાગે છે અને શરીરે પાતળા બાંધાના છે. પ્રથમ તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો એ-ડિવીઝન પીએસઆઇ ટી. ડી. ચુડાસમાનો ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

જ્યારે બીજા બનાવમાં તા.૨૮/૮ના રોજ જામટાવર ચોક રાજકોટ ડેરીની પાસે લીમડાના ઝાડ નીચેથી અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં ૧૦૮ના ઇએમટી ભાવનાબેન ડોડીયાએ તેને મૃત જાહેર કરતાં પ્ર.નગરના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને માયાબેન સાટોડીયાએ જરૂરી કાર્યવાહી કરી હતી.

ત્રીજા બનાવમાં ભીલવાસ ચોક રોકડીયા હનુમાનજી મંદિર પાસેથી તા. ૨૯/૮ના રોજ અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ ૩૧/૮ના રોજ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. હોસ્પિટલ ચોકીના એએસઆઇ રાજુભાઇ બી. ગીડાએ જાણ કરતાં પ્ર.નગરના એએસઆઇ કનુભાઇ વી. માલવીયા અને રામજીભાઇ પટેલે જરૂરી કાર્યવાહી કરી હતી.બીજી અને ત્રીજી તસ્વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(1:06 pm IST)